દૂઝણી ગાય / ભેંસ માટે ખોરાક અંગે સંદેશ by RFIS-ADVISORIES published on 2022-12-21T10:15:25Z નમસ્કાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દૂઝણી ગાય / ભેંસ માટે ખોરાક અંગે સંદેશ, દૂધ આપતા પશુને તેના નિભાવ ઉપરાંત દૂધ ઉત્પાદન માટે વધુ પોષક તત્વોની જરૂરત રહે છે, જેથી સારી ગુણવત્તાવાળું દાણ મિશ્રિત આપવું જરૂરી બને છે. આવા દાણ મિશ્રણમાં ઓછામાં ઓછા 20 થી 22 ટકા પ્રોટીન અથવા તો લગભગ 15 થી 16 ટકા પાચ્ય 65 થી 70 ટકા કુલ પાચ્ય તત્વો હોવા જોઇયે તૈયાર મળતા આવા સારા સમતોલ દાણ મિશ્રણમાં ક્ષારનો ભૂકો (મિનરલ મિક્ષ્ચર) પણ ઉમેરેલું હોય છે. પરંતુ જો તૈયાર દાણ મિશ્રણમાં ક્ષારનો ભૂકો મેળવેલો ના હોય તો રોજનું 30 થી 50 ગ્રામ સારું તૈયાર ક્ષારમિશ્રણ આપવું જરૂરી બને છે. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનતી.