ગીર ગાયમાં દૂધના વધુ ઉત્પાદન માટે વાછરૂને મર્યાદિત ધવડાવીને દોહન કરવા અંગે સંદેશ by RFIS-ADVISORIES published on 2022-12-21T12:06:01Z નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન પ્રસ્તુત પશુપાલન અંગે સંદેશ, ગીર ગાયોમાં વાછરૂને મર્યાદિત ધવડાવીને દોહન કરવાથી ટૂંકા વેતરનું પ્રમાણ ઘટે છે અને તેના લીધે ઓછું દૂધ ઉત્પાદન આપતી ગાયોનું પ્રમાણ પણ ઘટે છે. ધવડાવ્યા વિના દોહનની સરખામણીએ, ધવડાવીને દોહન કરવાથી પશુની ઉત્પાદકતા એકંદરે વધે છે. જોકે તેઓ વિયાણ બાદ એક ઋતુચક્ર મોડી સગર્ભા બને છે પરંતુ ઉત્પાદનમાં એકંદરે સુધારો થતાં તે સરભર થઈ જાય છે. જેથી ડેરી ફાર્મ (ગોશાળા) ધારકો તેમજ પશુપાલકોએ વાછરૂને મર્યાદિત ધવડાવીને દોહન કરવા ભલામણ છે. પ્રાપ્ત માહિતી જુનાગઢ કૃષિ યુનિવર્સીટીથી મેળવેલ છે. આભાર